એકવાર એક ફારસી કવિએ કુરાનેશરીફ ઉપર થોડી ધૂળ પડેલી જોઈ.તેણે આ જોઈને ધૂળને પૂછ્યું,”અરે,આ પવિત્ર ધર્મપુસ્તક ઉપર તારા જેવી તુચ્છ અને નકામી ચીજ ક્યાંથી આવીને પડી?”
ત્યાંરે તો ધૂળને એકાએક વાચા ફૂટી.ધૂળ કહે,”બાબા એ તો સત્સંગનો પ્રતાપ છે.પહેલા પવનની સાથે સત્સંગ થયો.પવનને મને એક ફૂલ ઉપર જઈને મૂકી દીધી.પછી એક ભક્તજને આવીને એ ફૂલો ચૂંટી લીધાં અને તેણે આ કુરાન ઓઅર એ ફૂલોને ચડાવ્યા.એટલે ફૂલના સત્સંગને લીધે હું પણ ફૂલોની સાથોસાથ આ જગ્યાએ આવી પડી.”
અભિપ્રાય